લાલા લજપતરાય
લાલ,બાલ અને પાલ ની પ્રખ્યાત ત્રિપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નવયુવાનોના હ્રદયમાં આદરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ ૨૮-૦૧-૧૮૬૫ ના રોજ થયો હતો. મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી, કૉલેજમાં શિષ્યવૃતિ પણ મેળવી અને વકીલાત શરૂ કરી પૂનામાં ફાટી નીકળેલા ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથને દુ:ખી ભાઇ-ભાંડુઓને સક્રિય મદદ કરવા માટે લાલાજીએ દિન રાત એક કરી ને આપણી સમક્ષ એક અનોખુ અને પ્રેરક દ્રષ્ટાત પૂરું પાડ્યું ઇંગ્લૅન્ડ જઇ ભારતની પરતંત્રતા ભારતવાસીઓના હક પર વ્યાખ્યાનો આપી લોકમત જાગૃત કર્યો. તેમણે પંજાબી મુખપત્ર દ્વ્રારા અંગ્રેજોના વલણો અંગે ઝાટકણી કાઢી. તેમણે ‘ગોરીબાલ્ડી’, ‘છત્રપતિ શિવાજી’, ‘શ્રધ્ધાનંદજી’ ‘શ્રી કૃષ્ણ’ એમ કુલ ચાર પુસ્તકો લખ્યા. સાયમના કમિશનને બહિષ્કાર કરવા કાઢેલા સરઘસની આગેવાની લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ મારથી ઇ.સ. ૧૯૨૮ માં અમર શહીદીને વર્યા. તેઓએ કહેલું: “મને મારેલીપ્રત્યેક લાઠીના ઘા બ્રિટિશ સામ્રાજ્યના કફનનો એક એક ખીલો પુરવાર થશે.” જે સાચે જ પડી. ભારતમાતાની સ્વાતંત્ર્ય વેદી પર પંજાબ કેસરીની આ કુરબાનીને ભારતના નાગરિકો સદા યાદ કરશે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH