ઘણા વર્ષો પહેલા એક આશ્રમમાં ધૌમ્ય ઋષિ રહેતાં હતાં. તેમની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતાં હતાં.ઋષિમુનિ શિષ્યોને મહેનતનો ગુણ તેમજ અનુશાસનમાં રહેવાનું શીખવતા હતા.ઉપમન્યુ પણ ધૌમ્ય ઋષિના શિષ્યોમાંનો જ એક હતો.હું તને આશ્રમની ગાયોની જવાબદારી સોંપુ છું.ગુરુદેવ જેવી તમારી આજ્ઞા.ઉપમન્યુ દરરોજ ગાયોને ચરાવવા લઇ જતો અને સાંજે આશ્રમમાં પાછી વાળતો. ઉપમન્યુ તું બપોરે શું જમે છે?હું બાજુના ગામમાં જઇને ભિક્ષા માગું છું. તે લોકો જે આપે છે તે ખાઇ લઉ છું. ઋષિમુનિએ કહ્યું, ‘તું મારી આજ્ઞા વિના ભોજન ન કરી શકે. કાલથી તું એ બધું ભોજન આશ્રમમાં લાવજે.’ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા દૂધ પીવા લાગ્યો.ધૌમ્ય ઋષિને આ વાતની ખબર પડી ત્યારે ઉપમન્યુને કહ્યું...મને ખબર પડી છે કે, તું ગાયનું દૂધ પીવે છે. ગાયના દૂધ ઉપર ફક્ત તેના વાછરડાનો અધિકાર હોય છે. ઋષિમુનિના કહેવાથી ઉપમન્યુએ ગાયનું દૂધ પીવાનું છોડી દીધું.ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા ઝાડના પાનનો રસ પીવા લાગ્યો. એ પાન ઝેરી હતા. પાન ખાતી વખતે તેને ધ્યાન ન રહેવાથી પાનના ટીપાં તેની આંખમાં પડ્યાં અને તે અંધ થઇ ગયો. ચાલતાં-ચાલતાં તે ખાડામાં પડી ગયો.સાંજ પડતા ગાય આશ્રમ તરફ પરત ફરી, ત્યારે..પરંતુ સાથે ઉપમન્યુ ન હોવાથી ઋષિને ચિંતા થઈ.ધૌમ્ય ઋષિ ઉપમન્યુને શોધવા નીકળી પડ્યાં, ત્યાં એક ખાડામાં ઉપમન્યુ પડેલો દેખાયો. ઉપમન્યુ,આ તને શું થયું?ઝેરી વનસ્પતિના પાનનો રસ આંખમાં પડવાને લીધે હું અંધ થઇ ગયો છું. બેટા, તું અશ્વિનીકુમાર અને રેવંતને પ્રાર્થના કર. ઉપમન્યુ પ્રાર્થના કરવા લાગ્યો.વત્સ, આ ફળ ખા, તું સાજો થઇ જઇશ.માફ કરજો, હું ગુરુની આજ્ઞા વગર ફળ નહીં ખાઇ શકું.બેટા, તું આ ફળ ખાઇ લે.હું તારી ગુરુભક્તિ જોઈને ખુશ છું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH