નેતાજી સુભાષચંદ્ર બોઝ
સ્વાતંત્ર્યના અણનમ યોદ્ધા, ચૈતન્યનો મહા ધોધ એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ તા. ૨૩-૦૧-૧૮૯૭ ના રોજ બંગાળના એક ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી હતા. આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા. સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં રહેતા શ્રી રાસબિહારી બોઝે સ્વંય નિવૃતિ લઇ ‘આઝાદહિંદ ફોજ’ નું સુકાન સુભાષબાબુને સોંપ્યું.તેમણે આકાશવાણી પર આપેલા ‘ ચલો દિલ્હી ‘ અને ‘ જય હિંદ ‘ ના સૂત્રો દેશભરમાં ગૂંજી રહ્યાં. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું. હિંદના ‘ સરનશીન ‘ તરીકે ઓળખાવ્યા. સુભાષબાબુ સિંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજદિન સુધી છવાયેલું છે. ૨૦ મી ઑગસ્ટ ૧૯૪૫ ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH