
ભાવનગરના ઘડવૈયા ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ ઇ.સ.૧૮૦૫ માં ઘોઘામાં થયો હતો. નિશાળમાં થોડું ઘણું ભણ્યા. તેમને સવા છ રૂપિયા માસિક પગારવાળી ભાવનગરા રાજ્યમાં નોકરીએ મળી,પછી તેઓએ બુદ્ધિ અને કુશાગ્રતાથી વહીવટકર્તા બન્યા.તેમણે પોતાની કુનેહથી બહારવટીયા જેવા જાતિના લોકોનું હ્રદય પરિવર્તન કર્યું હતું. ભાવનગરના રાજાએ દીવાનપદ આપ્યું. તેમણે ભાવનગરમાં ૧૨ અને રાજ્યના સમગ્ર વિસ્તારમાં ૧૦૦ જેટલી શાળાઓ શરૂ કરી. રાજ્યમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરી અને કુશળ ઇજનેરો નીમ્યા. તખ્તસિંહે ખાસ દરબાર ભરી તેમની સેવાઓને બીરદાવી.તા.૦૧.૧૨.૧૮૯૧ ના રોજ અવસાન પામ્યા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.