Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

ખીરસરા રાજમહેલ

ખીરસરા રાજમહેલ

Jump to navigationJump to search
ખીરસરા રાજમહેલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામ ખાતે આવેલ એક રાજમહેલ છે. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને ધરોહર સ્થળનું એક ઉત્તમ ઉદાહરણ સમાન આ ખીરસરા મહેલ તેની રજવાડી સુંદરતાના કારણે માત્ર ગુજરાતીઓ તેમજ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહેલ પરિસરની સુંદરતાને કારણે ફિલ્મ દિગ્દર્શકોએ અનેક વખત અહીં ફિલ્મોનાં શૂટિંગ કર્યાં છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મહેલનો ઇતિહાસ પોણા બે સૈકા જૂનો અને અનોખો છે. કહેવાય છે કે આ ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. જો કે આ ઇતિહાસ હાલમાં ક્યાંય મળતો નથી. વાયકા છે કે રાજકોટના ઠાકોરની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજી દ્વારા આ કિલ્લા જેવા મહેલ પરિસરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧] ત્યારે દિવસે ચણતર કરવામાં આવતું, પરંતુ રાત્રી થતાં જ ચણતર પડી જતું. અનેક વખત આ પ્રકારની ઘટના ઘટી. એ જ અરસામાં એક પીર બાબા ખીરસરા આવ્યા. રણમલજી તેમની પાસે ગયા અને મહેલના ચણતર અંગે વાત કરી. તેમના માર્ગદર્શન મુજબ રણમલજીએ એમાં ભુલવણી બનાવી, જેમાં ચારસો માણસ રહી શકતા. આજે પણ અહીં પીરનું સ્થાનક તથા તેમના વંશજોની કબરો આવેલી છે. યુદ્ધ સમયમાં શત્રુઓ પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે આ ભુલવણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી જ ખીરસરાનો મહેલ અજીત રહી શક્યો હતો.[૨]
જુનાગઢના નવાબે ખીરસરા પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે પહેલાં જ રણમલજીએ જૂનાગઢ રાજ્યના એક-બે ગામ પર હુમલો કરી કબજે કર્યા હતાં. આ વાતથી ક્રોધિત નવાબ જાતે જ ખીરસરા સર કરવા તોપો લઇને આવ્યા હતા, પરંતુ ભુલવણીની વ્યૂહ રચનાને કારણે નવાબ આ મહેલ પર ફતેહ કર્યા વગર જ પરત ગયા હતા. નવાબની બે તોપો આજે પણ અહીં વિજય સ્મારક તરીકે સાચવેલી જોવા મળે છે.
રણમલજી પછીના વંશજ આ સ્થળની જાહોજલાલી સાચવી શક્યા નહીં. જો કે ઠાકોર સુરસિંહજીએ ફરીથી આ મહેલ પરિસરને તેનો મોભો પાછો અપાવ્યો હતો.[૩]
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top